ઈશ ઉપનિષદ :
ઈશ ઉપનિષદ બધાં ઉપનિષદોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ સંહિતાનો ૪૦ મો અધ્યાય છે.
ઈશ ઉપનિષદ ઉપર સૌથી વધુ ભાષ્યો અને વિદ્વાન લોકોનાં લખાણો ઉપલબ્ધ છે. તેને દૃષ્ટિ સમક્ષ રાખી આ સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે, જે સત્યનો સાક્ષાત્કાર કરવામાં અને જીવનમાં તેનું આચરણ કરવામાં જિજ્ઞાસુના મનમાં જાગતા તમામ પ્રશ્નોના ઉત્તરો આપવા સમર્થ છે.
ઈશ ઉપનિષદમાં અઢાર શ્લોક છે, જેમાં વિવિધ વિષયોનું વિવરણ- વિવેચન છે, જેવા કે પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું, તેનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મની સ્વચાલિત વ્યવસ્થા તેનું સંચાલન કેવી રીતે કરે છે વગેરે. બધા જીવો નિરંતર આનંદમાં રહી શકે તે માટે પરમાત્માએ કેવી સુંદર વ્યવસ્થા કરી છે તેનું વર્ણન ખૂબ જ રોચક છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners