કઠ ઉપનિષદ :
કઠ ઉપનિષદમાં ઋષિ નાટ્યાત્મક રૂપે નચિકેતા અને યમરાજા વચ્ચેના વાર્તાલાપ દ્વારા સુંદર રીતે બ્રહ્મજ્ઞાન સમજાવે છે.નચિકેતાનો મુખ્ય પ્રશ્ન મૃત્યુ પછીના જીવન વિષેનો છે. આપણા મનમાં પણ આ જ વાત રમતી હોય છે કે ખરેખર મૃત્યુ પછી જીવન છે કે નહીં ? આપણે આનો ઉકેલ શોધવા પ્રયાસ કરતા હોઈએ છીએ.
મૃત્યુ પછી જીવન છે જ તે સ્પષ્ટ કરવા માટે આ ઉપનિષદમાં આપણું બંધારણ તથા પરમાત્માની સંપૂર્ણ સક્ષમ વ્યવસ્થાનું વર્ણન કરેલું છે, જેમાં આપણા આ જીવનનાં કર્મોનાં ફળો સચવાય અને નવા જન્મમાં તે આપણને સ્વભાવ અને શ્રદ્ધા સ્વરૂપે મળે તથા આપણે આસક્તિ વિના નિષ્કામ ભાવે કર્મ કરીએ તો તેનાં ફળ આ જન્મમાં અથવા તો નવા જન્મે મેળવી શકીએ છીએ તે સમજાવવામાં આવેલ છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners