‘કોણ સ્વામી અને કોણ નારાયણ?’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મના સ્વરૂપ અને તેના આરાધ્ય દેવો વિરુદ્ધ કરાયેલા ષડયંત્રને ઉજાગર કરે છે. અને એ ષડયંત્ર ઉજાગર થાય છે ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓની જાગૃતિથી છેડાયેલા એક આંદોલન વડે. વનમાં ફરતા માનવો જેવા સામાન્ય અને ગુમનામ વા-નરો જ આખરે ધર્મ માટે કેવી રીતે શક્તિશાળી રાવણોની લંકા સામે ભિડાય છે, એ તથ્યને આ કથા ફરી એકવાર માનવ સમાજ સામે સાબિત કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો.