‘નકલી નારાયણનો પ્રપંચી સંપ્રદાય’ - એ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને ઉથલાવી દેવા કરાયેલા ષડયંત્ર અને તેમના વિરુદ્ધ ગુજરાતના સ્વાભિમાની સનાતાનીઓએ છેડેલા ધર્મયુદ્ધની કથા છે. આ પુસ્તક તમને એક આખી સભ્યતા સાથે કરાયેલા વિશ્વાસઘાતની યાત્રા પર લઇ જાય છે. એક વિકૃત બની ચુકેલ સંપ્રદાય હિન્દુઓનું એક નવા ઈશ્વરમાં મતાંતરણ કરાવી તેમને તેમના જ ઈશ્વરોનું અપમાન કરતા કેવી રીતે કરી દે છે તે ભયાનક સત્ય આમાં ઉજાગર થાય છે. પ્રમાણો, તર્કો અને શાસ્ત્રોક્ત સત્યો વડે સનાતન ધર્મ વિરુદ્ધ થયેલી આ ભીતરઘાતથી સનાતનીઓની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને બચાવવાની આ પુસ્તક એક નિર્દોષ કોશિશ કરે છે. આ પુસ્તક એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે જે આજની અને આવનારી પેઢીઓને જણાવી રહ્યો છે કે ગુજરાતનો જાગૃત હિંદુ સમાજ આ ભીતરી આક્રમણથી કેવી રીતે લડ્યો અને તેણે પોતાના સનાતન ધર્મને અંદરથી જ ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો ન બનવા દેવા સ્વાચેતનાથી કેવો પુરુષાર્થ કર્યો.