તૈત્તિરીય ઉપનિષદ :
આ ઉપનિષદનો પ્રમુખ ઉદેશ આનન્દ છે.તેમાં આનંદ પ્રાપ્તિ માટે આવશ્યકસર્વ સાધનો નું વિગતવાર વર્ણન છે.
કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના સાત, આઠ અને નવમા અધ્યાયમાંથી સાર તત્ત્વ તારવીને આ ઉપનિષદની રચના કરવામાં આવી છે. તેમાં ત્રણ વલ્લીઓમાં શિક્ષણ, આનંદ અને અન્નનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.
આ ઉપનિષદનો મૂળ ઉદ્દેશ સુખ અને આનંદને સમજાવવાનો છે. સુખ ભૌતિક સાધનોમાંથી મળે છે અને તે ક્ષણિક હોય છે. સુખની ચરમ સીમાએ આનંદની આછી ઝલક માત્ર પ્રાપ્ત થાય છે. આનંદ આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આત્મિક આનંદ કાયમી હોય છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners