Share this book with your friends

Kesariya / કેસરિયા Short story collection

Author Name: Ankit Chaudhary "shiv" | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે. 

કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા ‘ખુદ્દારી’માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. ‘કેસરિયા’ વાર્તામાં વીરસંગ સિંહની એક તરફા પ્રેમની કહાની અને પોતાની પત્ની કેસરીના મૃત્યુ પછી તેની સાથે જીવવાની રીત શોધી કાઢી છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની પત્નીની બબાલ સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે કેસરિયો તેની પત્નીને તેના નામમાં જીવતી રાખવા તૈયાર થયો છે. આ વાર્તામાં વીરસંગ સિંહને તેની પત્ની કેસરીના ગયા પછી, આખું ગામ કેસરિયા નામેથી બોલાવતું થયું છે.

આ વાર્તા સંગ્રહની અંદર સમાવેશ વાર્તાઓ માનવીનાં જીવનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સમજદારી, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા જિંદગીને ખરેખરમાં રંગીન કઈ રીતે બનાવવી તેના વિશે જણાવે છે. આ વાર્તાસંગ્રહની અંદર સમાવેશ તમામ વાર્તાઓ તમારા દિલને સ્પર્શી જશે એની મને ખાતરી છે. જય હિંદ.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

અંકિત ચૌધરી "શિવ"

શિવની સાધના થકી શબ્દોની ઉત્પત્તિ થાય છે અને એ જ શબ્દોની ગૂંથણીથી વાર્તાનું સર્જન થાય છે. મારી ઓળખાણ મારી માટે એક દર્પણ સમાન છે, હું અંકિત ચૌધરી “શિવ” નામથી આખા ગુજરાતમાં પ્રચલિત થયો છું, મારું આખું નામ અંકિત શિવરામભાઈ ચૌધરી છે. મારા પિતા શિવરામભાઈ વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલા છે અને માતા હેમીબેન એક સફળ અને આદર્શ ગૃહિણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાને લીધે મારા માતા પિતાએ મને દરેક જગ્યાએ પ્રોત્સાહન આપ્યું છે. મેં અભ્યાસ M.A. B.Ed. અંગ્રેજી વિષય સાથે પૂર્ણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી લખવાનો શોખ છે, એટલે એ શોખને મારું પેશન બનાવીને મેં એમાં ઊંડા ઉતારવાનું શરૂ કર્યું. મેં લખવાની શરૂઆત કર્તવ્ય – એક બલિદાન અને પ્રેમ કે બદલો? નામની બે નવલકથા એક સાથે લખીને કરી હતી. કર્તવ્ય – એક બલિદાન, કાલો – ધ નૂર ઓફ કુલભાટા અને વશીકરણ નામની નવલકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ગઈ છે ને તરંગિણી સમીપે નામનો કાવ્ય સંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ચૂક્યો છે. આગળ પણ મારા શોખને મારું હથિયાર બનાવીને શિખર સર કરવાની કોશિશ કરતો રહીશ! ગુજરાતી સાથે સાથે હિંદીમાં પણ લખવાનો શોખ ધરાવું છું, જેમાં હિંદી ભાષામાં અનેક કાવ્ય લખી ચૂક્યો છું, જેના માટે વાંચકો દ્વારા મને ખૂબ જ પ્રશંસા મળી છે, જેની માટે દરેકનો આભાર વ્યક્ત કરું છું.

Read More...

Achievements

+2 more
View All