Share this book with your friends

Aitareya Upanishad / ઐતરેય ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

ઐતરેય ઉપનિષદ : 
 
ઐતરેય ઉપનિષદ્ ઋગવેદના ઐતરેય આરણ્યકમાંથી લેવામાં આવ્યું છે. તેમાં ત્રણ અધ્યાય છે અને ત્રણેય અધ્યાયોમાં કુલ મળીને છ ખંડ છે તથા તેમાં ત્રેવીસ મંત્રો છે. એ દૃષ્ટિએ આ ઉપનિષદ્ નાનું છે.
 
ઉપનિષમાં પરબ્રહ્મ પરમાત્માએ કરેલી સૃષ્ટિની રચના યોજનાબદ્ધ અને ક્રમશઃ સમજાવવામાં આવી છે. પ્રથમ તપ સહિત સંકલ્પ કર્યા પછી પરમાત્માએ પંચમહાભૂતોની રચના કરી. તેમાં ઉપરથી નીચે સુધીના લોકની રચના કરી, જેને ક્રમશઃ અમ્ભ, મરીચિ, મર અને જલલોક એવાં નામ આપ્યાં.
 
ઉપાસ્યદેવ પરમાત્માના તત્ત્વને જાણવાની ઈચ્છા ધરાવતા મનુષ્યોએ કોની ઉપાસના કરવી જોઈએ તેનું માર્ગદર્શન છે. આ રીતે અમૂલ્ય મનુષ્ય જીવનને સાર્થક કરવાની વિધિ બતાવી આ ઉપનિષદ્ દ્વારા ઋષિઓએ મનુષ્ય જાતિ પર મહાન ઉપકાર કર્યો છે.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન,  વડોદરા નો પરિચય : 
           
સંપૂર્ણ જીવન  વિનામૂલ્યે  આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન, વડોદરા નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવા નો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને, જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના   શ્લોક નું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન વડોદરા આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવી ને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, 
વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133, 9409306178,
Email: sampoournajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in
 

Read More...

Achievements

+3 more
View All