Share this book with your friends

PRASHNA UPANISHAD / પ્રશ્ન ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : Philosophy | Other Details

પ્રશ્ન ઉપનિષદ : 
પ્રશ્નોપનિષદ અથર્વ વેદના પિપ્પલાદ-શાસ્ત્રીય બ્રાહ્મણ ભાગ અંતર્ગત આવે છે. આ ઉપનિષદમાં પિપ્પલાદ ઋષિને સુકેશા આદિ છ ઋષિઓએ પૂછેલા છ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા છે. 
 
પ્રશ્નનો પ્રારંભ ‘‘આ સૃષ્ટિના રચિયતા કોણ?'' થી શરૂ કરી પ્રશ્નો અને તેના વિશદ ઉત્તરો દ્વારા ઋષિએ પરમાત્માની સૃષ્ટિના ૬ સંચાલનની તમામ વ્યવસ્થા સમજાવી છે.  
 
પ્રજા કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રજાના આધારભૂત કયા કયા દેવતાઓ છે? પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કેવી રીતે સ્થિર થાય છે? સુષુપ્તિમાં ક્યા દેવતાઓ સૂએ છે ને કોણ જાગે છે? ૐકારના બળથી કયો લોક પ્રાપ્ત થાય છે? સોળ કળાઓવાળો પુરુષ કોણ? 
સૃષ્ટિનું સર્જન , રયિ ને પ્રાણ , દેવયાન અને પિતૃયાન માર્ગ

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

સંપૂર્ણ જીવન, વડોદરા

 
સંપૂર્ણ જીવન, વડોદરા : 
 
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.

જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133,940936178,
Email: sampoornajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in
 
 

Read More...

Achievements

+3 more
View All