શું તમે જાણો છો કે છેલ્લા ૨૦૦ વર્ષથી સનાતન ધર્મના ગર્ભમાં એક મોટું ષડયંત્ર ઉછરી રહ્યું છે?
ડૉ. કૌશિક ચૌધરી દ્વારા લિખિત આ પુસ્તક, “નકલી નારાયણ સહજાનંદ”, એક એવા ઐતિહાસિક ષડયંત્રનો પર્દાફાશ કરે છે જેણે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, દેવી શક્તિ અને અન્ય વૈદિક દેવતાઓને એક સામાન્ય મનુષ્યના સેવક બતાવી પૂજવા માટે અયોગ્ય કહી દીધા અને તે સામાન્ય મનુષ્યને અંગ્રેજોની મદદથી સનાતન ધર્મનો એકમાત્ર સર્વોપરી ભગવાન બનાવી દેવાની કોશિશ કરી. આ પુસ્તક સ્પષ્ટ કરે છે કે ૧૯મી સદીમાં અંગ્રેજોએ સનાતન હિંદુ ધર્મને અંદરથી નષ્ટ કરવા ખ્રિસ્તી પાદરીઓની મદદથી સ્વામિનારાયણ સંપ્રદાય રૂપી એક નવા પંથ અને નવા ભગવાનને હિંદુ દેખાવ અને હિંદુ શબ્દો સાથે સ્થાપવાનું કાર્ય કર્યું, અને આજે એ ષડયંત્ર વિસ્તરીને વિશ્વભરના હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યું છે. આ પુસ્તક એક ઊંડા ઐતિહાસિક અને શાસ્ત્રીય સંશોધનનો દસ્તાવેજ છે. આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ધર્મના નામે ચાલતા અધર્મને પડકારવાનું અને સત્યને પુનઃસ્થાપિત કરવાનું એક મોટું અભિયાન છે!
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners