You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palઅધ્યાત્મ ના સિદ્ધાંત :
ભૌતિકશાસ્ત્રના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જેવા કે, ગુરુત્વાકર્ષણ, ચુંબકીયક્ષેત્ર, રેડિયોધર્મિતા, જૈવધર્મિતા, ઉષ્ણતાવહન, સૌરઊર્જા, વાયુઊર્જા ઇત્યાદિ. તેના પ્રયોગ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ અનેક ઉપકરણોની ખોજ અને નિર્માણ કર્યાં. તદનુસાર આધ્યાત્મિક સિદ્ધાંતો દ્વારા મનુષ્ય આધ્યાત્મિક બની જીવનનું ઊર્ધ્વકરણ કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્ર આત્મા-પરમાત્મા (શાશ્વત તત્ત્વ) વિષે વિચાર કરે છે. તેથી આ શાસ્ત્ર વ્યાપક અને ગહન છે. તેમાં હજારો વર્ષોમાં મનુષ્ય પોતાની બુદ્ધિથી તથા અંતઃ પ્રેરણાથી જે કંઇ શ્રેષ્ઠ વિચાર્યું છે, ચચ્ચું છે, તર્કની કસોટી પર કસ્યું છે, તેમાંથી કેટલીક વિચારધારાઓ પ્રચલિત થઇ છે.
અધ્યાત્મના મૂળભૂત સિદ્ધાંતો અધ્યયન અર્થે તારવ્યા છે, જે નીચે મુજબ છે
૧. અંતિમ સત્તાનો સિદ્ધાંત, ૨. અદ્વૈતનો સિદ્ધાંત, ૩. કર્મનો સિદ્ધાંત,
૪. આનંદનો સિદ્ધાંત, ૫. શરણાગતિનો સિદ્ધાંત, ૬. અપરિગ્રહનો સિદ્ધાંત.
અમને વિશ્વાસ છે કે આ નાનકડી પુસ્તિકા વિદ્વદજનો તથા સક્ષમ સંશોધકોને આ દિશામાં કામ કરવામાં માર્ગદર્શક બની શકશે અને પરિણામે સમાજમાં સાચી શાંતિ, સમતા તથા સૌહાર્દ સ્થાપી શકાશે.
સંપૂર્ણ જીવન - વડોદરા
સંપૂર્ણ જીવન - વડોદરા :
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.
જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, પાણીની ટાંકી પાસે,
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
The items in your Cart will be deleted, click ok to proceed.