Share this book with your friends

MAHESH DAVE NO VARTA VAIBHAV / મહેશ દવેના એકાંકીઓ

Author Name: Dr. Rajesh H. Trivedi , Dr. Mihir Mahesh Dave | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ગુજરાતી સાહિત્યમાં ઇસ. ૧૯૫૫ થી ૧૯૮૫ સુધીનો ત્રણ દાયકા જેટલો સમય ગાળો
લગભગ આધુનિક પ્રયોગશીલ ટૂંકી વાર્તાનો છે. આ સમયમાં વાર્તા લેખન કરતા
લેખકોએ તેમની વાર્તાઓમાં પરંપરા થી કંઈક જુદું આપવાનો પ્રયત્ન કર્યો છે.
સર્જક ચેતનાની બદલાયેલી પરિસ્થિતિ ને કારણે સર્જકોને પ્રયોગો કરવાની
જરૂરિયાત ઉભી થાય છે. ઘણીવાર આવી અનિવાર્યતા આદતમાં પલટાઈ જાય છે અને
પ્રયોગને વળગીને ચાલવા લાગે છે. પ્રયોગનું વળગણ સર્જક માટે ક્યારેક
દુષ્કર નીવડે છે. કશું નવું કરવાની લાહ્યમાં અંતે કશું સિદ્ધ ન થાય તેમ
પણ બને છે પરંતુ શ્રી મહેશ બાલાશંકર દવેની વાર્તાઓમાં માત્ર પ્રયોગોનું
વળગણ નથી પણ સર્જક ચેતનાની અનિવાર્યતા છે. તેમની પાસેથી આપણને પ્રયોગશીલ
અને સત્વશીલ તથા વિષય વૈવિધ્ય સભર વાર્તાઓ મળે છે. શ્રી મહેશ દવેના આ
પ્રસ્તુત સંગ્રહમાં તેમની કુલ ૪૬ વાર્તાઓ ઉપરાંત તેમની વાર્તાઓ પર લખાયેલ
વિવિધ લેખો, તેમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો મુલાકાત સ્વરૂપે
પરિશિષ્ટમાં સમાવીને આ સંપાદન ને શાસ્ત્રોક્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન
કરેલ છે. સાહિત્ય પ્રેમી અને સાહિત્ય રસિકોને આ આધુનિક પ્રયોગશીલ ટૂંકી
વાર્તાઓ સૌંદર્યલક્ષી આનંદ તો પીરસશે જ પરંતુ સાથે સાથે તેમને જીવનની
સૂક્ષ્મતા, માનવ મનની આંટીઘૂંટી, માનવીય સંબંધો -સંવદેના નું નવું ગણિત
અને માનવીની જીવનબોધ પામવાની ખેવના વગેરે જેવા વિષયો સમજવા માટેની
સજાગતામાં વધારો કરશે.

Read More...
Paperback
Paperback 465

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ડો. રાજેશ હ ત્રિવેદી , ડો. મિહિર મહેશ દવે

પ્રોફેસર મહેશ બાલાશંકર દવેનો જન્મ તારીખ ૦૧-૦૮-૧૯૩૫, વતન રાજપુર તાલુકો
કડી, જન્મ સ્થળ વાવોલ, ગાંધીનગર થયો હતો. તેઓએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ
યુનિવર્સિટી, વડોદરા માંથી સુરેશ જોશી જેવા ગુરુજન પાસેથી ગુજરાતી
સાહિત્ય તેમજ વિશ્વ સાહિત્યનું શિક્ષણ મેળવ્યું અને એમ.એ થયા. અમદાવાદ
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઘણા વર્ષો
અધ્યાપન કરાવ્યું અને ૧૯૯૫માં તેઓ નિવૃત થયા. તેઓશ્રીએ "મને દ્રશ્યો
દેખાય છે" એકાંકી સંગ્રહ, "મુકાબલો" અને "વહેતુ આકાશ" નામે વાર્તા
સંગ્રહ અને "બીજો સૂર્ય" કાવ્ય સંગ્રહ આપ્યા અને તે ઘ્વારા ગુજરાતી
સાહિત્ય પ્રવાહમાં અસ્તિત્વવાદ, ઘનવાદ (cubism ) અને એબ્સર્ડ ની ટેકનિક
વિશિષ્ટરૂપે પ્રયોજીને અભિભાવકોને એક નવો જ રસથાળ પિરસ્યો. "વહેતુ આકાશ"
વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનું અને "મને દ્રશ્યો દેખાય છે" એકાંકીને
ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. તેઓશ્રી અત્યારે
૩૭, સાબરમતી સોસાયટી, ધર્મનગર,સાબરમતી, અમદાવાદ ખાતે નિવૃત જીવન ભારતીય
સંગીત શ્રવણ દ્વારા તેમજ વાંચન અને યોગ જેવી પ્રવુતિ ઘ્વારા પસાર કરે છે.

Read More...

Achievements

+4 more
View All