You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palદોસ્તી! દોસ્તી કોને કહેવાય! દોસ્તી કેવી હોવી જોઈએ એ આ નાટક દ્વારા સમજાવવામાં આવ્યું છે. કોલેજના દિવસો અજબ દોસ્તોની ગજબ કહાની છે જે કોલેજ તો આવી ગયા છે પણ તેઓનું વર્તન બાળકો જેવુ છે. લોકો શું વિચારે છે તેની ચિંતા કર્યા વગર પોતાની મોજીલી જિંદગીમાં તેનો ટકરાવ કોલેજના અન્ય ગ્રુપ સાથે થાય છે. જે બીજા વિદ્યાર્થીઓને હેરાન કરવામાં માહિર હોય છે. અજાણતા થયેલી ભૂલને કારણે બંને ગ્રુપ મારામારી પર ઉતરી આવે છે. સજા સ્વરૂપે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ તેનાથી બચવા તેઓ એક કાર્યક્રમમાં નાટક ભજવી ફર્સ્ટ નંબર પણ લાવે છે જેથી તેઓ સસ્પેન્ડ થતાં બચી જાય છે. અગર કોઈ તમને તમારા અસલી નામ સાચે પુકારે તો કેવું લાગે? એવું જ આ ચારેય મિત્રો સાથે થાય છે. જ્યારે કાર્યક્રમમાં તેમનું અસલી નામ બોલવામાં આવે છે ત્યારે તેઓને થાય છે “વાહ યારો આપણે તો દુનિયા જીતી લીધી!” આ ચારેય મિત્રોના સંગને કારણે પેલું ઝગડાલુ ગ્રુપ પણ સુધરી જાય છે. દોસ્ત ક્યારેક મુસીબતમાં ફસાઈ જાય ત્યારે તેને નીકાળવાવાળા પણ તેના દોસ્તો જ હોય છે. દોસ્તી માટે કઈ પણ કરવા તૈયાર થઈ છે. બાલમંદિરથી લઈને કોલેજ સુધીના સફરમાં આ ચારેય મિત્રો સાથે જ રહે છે અને ત્યાર પછી પોત-પોતાની મંજિલ તરફ રવાના થાય છે. આજ દોસ્તો જ્યારે દસ વર્ષ પછી મળે છે ત્યારે બહુ મોટી પોસ્ટ પર આવી ચૂક્યા હોય છે. ઓફિસિયલ લાઈફને એક તરફ મૂકી ચારેય મિત્રો જૂની યાદોની સફર કરવા નીકળી જાય છે. ત્યારે ચારેય બાલમંદિર, સ્કૂલ, કરસનકાકાની દુકાન, બગીચો, નદી, મંદિર, ગામનો ચોરો, આઈસ્ક્રીમ પાર્લર બધુ જોઈ વિચારે છે કે યારો કાશ એ સમય થંભી ગયો હોત તો!
અજબ-ગજબ સપનાની દુનિયાથી શરૂ કરેલી આ સફર કોલેજના લાસ્ટ 5માં ભાગનો અહીં એન્ડ આવી જાય છે. જે સપનાઓ બિલુએ જોયા હતા તે હકીકતમાં બદલી જાય છે.
એચ ડી કુમ્હાર
એચ ડી કુમ્હાર એક પ્રેરક, સાહિત્યકાર, નાટ્યકાર લેખક છે. વિવિધ ભાષાઓમાં ડઝનબંધ પુસ્તકો પ્રકાશિત થયા છે. મોટાભાગના પુસ્તકો પ્રેરક વાર્તાઓ છે
રહસ્યમય વાર્તા
કોમેડી ડ્રામા
પ્રખ્યાત હોરર વાર્તાઓ
અને એ પણ...
એચ ડી કુમ્હારે અનેક કાલ્પનિક પુસ્તકો અને નોન-ફિક્શન પુસ્તકો લખ્યા છે.
એ ચડી કુમ્હારના ઘણા પુસ્તકો સ્થાનિક સ્તરે વેચાય છે. પ્રેરણાત્મક પુસ્તક લખવા માટે શ્રેષ્ઠ ભેટ પણ મળેલ છે. તેમની તેમાંની નવલકથા પ્રખ્યાત છે.
લેખક વ્યાપકપણે એક પ્રેરણાત્મક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને પુસ્તક લખે છે. પુસ્તકો સામાન્ય રીતે સંક્ષિપ્ત અને જીવન સાથે સંબંધિત હોય છે. એચડી કુમ્હાર વાર્તાઓ લખે છે જે થોડા ઊંડા અર્થ સાથે હોય છે. નાના-નાના સંબંધોને મહાન જ્ઞાન આપી પુસ્તકો પણ લખ્યા છે. વાર્તામાં પ્રેરણા પણ લખેલી છે.
એચ ડી કુમ્હાર લોકોને પ્રેરણા આપતા પુસ્તકો લખે છે.
The items in your Cart will be deleted, click ok to proceed.